માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
“ મારી પાસે એક સફરજન હોય , તમારી પાસે એક સફરજન હોય, અને આપણે એક બીજાને આપીએ, તો બન્ને પાસે એક એક સફરજન રહે છે. પરંતુ જો, મારી પાસે એક વિચાર હોય, અને તમારી પાસે પણ એક વિચાર હોય અને જો આપણે, તે એક બીજા ને આપીએ , તો બંને પાસે બે વિચાર રહે છે ! -જયોજઁ બનાઁડઁ શો.
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.