માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હ્રદય ના કાં તો આંખો નાં.. સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
“ મારી પાસે એક સફરજન હોય , તમારી પાસે એક સફરજન હોય, અને આપણે એક બીજાને આપીએ, તો બન્ને પાસે એક એક સફરજન રહે છે. પરંતુ જો, મારી પાસે એક વિચાર હોય, અને તમારી પાસે પણ એક વિચાર હોય અને જો આપણે, તે એક બીજા ને આપીએ , તો બંને પાસે બે વિચાર રહે છે ! -જયોજઁ બનાઁડઁ શો.