કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.